BJP કાર્ય કર્તા દેવેન્દ્રસિંહ પઢીયાર વિરુધ ફરિયાદ કરવા બાબત.

Complain ID : CCN060117   38  

Women Help Complaint Complaint Date: October 28, 2022
  • State :  Gujarat
  • City :  Anklav
  • Address: Amrol Prathmik Shala , Amrol
દિપાલી જે. મહેતા
મુ. શિ. આમરોલ પ્રા. શાળા.
તા. આંકલાવ તા. ૨૩/૧૦/૨૦૨૨.
પ્રતિ શ્રી,
માનનીય સાંસદ સાહેબશ્રી,
આણંદ
વિષય : - BJP કાર્ય કર્તા દેવેન્દ્રસિંહ પઢીયાર વિરુધ ફરિયાદ કરવા બાબત.

જય ભારત સાથ આપ સાહેબશ્રી ને જણાવવાનું કે હું દિપાલી મહેતા આમરોલ પ્રા. શાળામાં મુ. શિ. તરીકે ચાર વર્ષથી ફરજ બજાવું છું. હું પૂરી નિષ્ઠા થી મારી ફરજ બજાવું છું. શાળામાં તમામ અવનવી પ્રવૃત્તિ કરાવું છું વાલી ગણ તથા ગ્રામજનો મારા કામથી ઘણા ખુશ છે. બાળકોને પણ મારાથી સંતોષ છે.
પરંતુ મારી પહેલા મુ. શિ. તરીકે નરેન્દ્રસિંહ પરમાર ફરજ બજાવતા હતા તેઓ શિક્ષક્ સંઘના જિલ્લા મહા મંત્રી નો હોદો ધરવતા હતા તેઓ અમિતભાઈ ચાવડા સાથે નજીકથી સંકળાયેલ હોય તેમની બીકે કોઈ HTAT /મુ.શિ. તરીકે આમરોલ પ્રા. શાળા માં આવતું ના હતું. મેં જાન્યુ ૨૦૧૮ માં મુ. શિ. તરીકે આમરોલ માં હાજર થયેલ નરેન્દ્રસિંહ ને આચાર્યનું પદ ગુમાવવું પડ્યું તે એમનાથી સહન થયું નહી અને ત્રણ વર્ષ બાદ નિવૃત થતા હવે BJP કાર્ય કર્તા દેવેન્દ્રસિંહ પઢીયાર આમરોલ ના વતની હોય તેમનો ઉપયોગ કરી છેલ્લા એક વર્ષ થી મને શાળામાં આવી ધમકાવતા હતા. ધીમે ધીમે તેમનું જોર વધવા લાગ્યું એક દિવસ મારી દીકરી પડી જતા વરસાદ પણ હતો અને માત્ર ૧૦ મીનીટ ઘરેથી ફોન આવતા બાકી શિક્ષકોને જવાબદારી સોપી ઘરે ગયેલ તેનો તકનો લાભ લઇ BJP કાર્ય કર્તા હોય મીડિયા ને તાત્કાલિક બોલાવી બીજા દિવસે શાળામાં તાળા બંધી કરી મને મીડિયામાં ચગાવેલ અને મારી બદલી કરવા માંગ કરેલ પરંતુ ગામના લોકોને ખ્યાલ આવતા તમામ ગામના લોકો મારી મદદ કરવા આવી ગયેલ. ત્યારબાદ ગામના લોકોએ દેવેન્દ્રશીહને શાળામાં ન આવવા માટે જણાવ્યું. તેઓ હવે શાળામાં આવતા નથી પરંતુ BJP કાર્ય કર્તા હોય તેનો લાભ લઇ નિવૃત શિક્ષક્ નરેન્દ્રસિંહ મારી વિરુધ દેવેન્દ્રસિંહ ના નામે મુખ્ય મંત્રી સુધી અરજી કરે છે. વારંવાર ખોટી રીતે અરજીઓ કરી મને છેલ્લા એક વર્ષથી માનસિક ત્રાસ આપે છે તથા શાળાનું શિક્ષણ અને વાતાવરણ બગાડે છે. આમરોલ ગામમાં હાલ દેવેન્દ્રસિંહ અને મનુભાઈ પરમાર (સરપંચ પ્રિયંકાબેન ના સસરા) બંને મળી થોડા થોડા દિવસે મને ધાક ધમકી આપે છે અને ખોટી રીતે અરજીઓ કરી મને હેરાન કરે છે. તો દેવેન્દ્ર સિંહ પઢીયાર તથા મનુભાઈ પરમાર માત્ર નરેન્દ્રસિંહ ના કહેવાથી મને ખુબજ હેરાન કરે છે. તો મને આ હેરાનગતિ માંથી મુક્તિ અપાવવા નમ્ર વિનંતી.
વધુમાં જણાવવાનું કે આપના અન્ય BJP કાર્ય કર્તા નાગજીભાઈ પરમાર પૂર્વ સરપંચ આમરોલ , આંકલાવ યુવા મંત્રી BJP કાર્ય કર્તા મિહિરભાઈ શાહ તથા હંસાકુંવરબા ને પણ ફોન દ્વારા વાત કરેલ હતી આ તમામ ને આપ મારા વિષે પૂછી શકશો જેથી આપને ખ્યાલ આવશે કે મારી વ્યથા સાચી છે. દેવેન્દ્ર સિંહ આપની પાર્ટીના નામ નો ખોટો ઉપયોગ કરી મને સતત માનસિક ત્રાસ આપે છે. તો આપની કક્ષાએથી ઘટતું કરવા વિનંતી તથા મને તેના ત્રાસ માંથી મુક્તિ આપવા વિનંતી. આભાર સહ.

બિડાણ :-
જુલાઈ માસ માં મીડિયા માં ચગાવેલ વિડીયો ક્લીપ .
હાલ મુ.મંત્રી સુધી મારા વિરુધ કરેલી અરજી ની કોપી
આમરોલ ગામના વાલી તથા ગ્રામજનો નું સ્ટેટમેન્ટ.
દિપાલી મહેતા
મુ.શિ. આમરોલ પ્રા. શાળા

Complaint Against / To: DEVENDRASINH PADHIYAR

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    eConsumer Court (Online Upbhokta Forum) take the complaint directly to the escalation team of the company, which has the power to resolve your grievance. We send a well-drafted letter to the company, explaining the details of your complaint along with the inconvenience caused to you. Jago Grahak Jago is specially to help consumers to redress their issues and grievances. We ensure to take quick actions on every complaint filed by the customers. We work hard and tirelessly to resolve the case.